અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ
રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ
જલારામ બાપાનો આદેશ
જલો કહે મારું ફરમાન સુણજો ભક્તો માંડી કાન;
ભક્ત માહરો જે કોઈ થાયે, એને લખવું અંતર માંહ્ય...
ભૂખ્યાને દેવું ભોજન, સદાય રાખી પવિત્ર મન;
ભક્તિ કરતાં દેતાં દાન, અંતર ના આવે અભિમાન...
આડંબરથી અળગા રહી, સત્ય ટેકને મનમાં ગ્રહી;
જનસેવા કરવી નિષ્કામ, લેવું રામ પ્રભુનું નામ...
મારા નામે ખોટો ડોળ, કદી ન ભરવો ધનભંડોળ;
વેરઝેરને રાખી દૂર, વિશ્વપ્રેમ ભરવો ભરપૂર...
સૌમાં જો જો આતમરામ, તો સૌ સુધરશે કામ;
મેળવશે જે સૌથી હાથ, એને સદાય મારો સાથ..
[ Copy this | Start New | Full Size ]
Subscribe to:
Posts (Atom)